સો સો સલામ ખજુરભાઈને.. તેમને બે લાખથી શરુ કરેલી મુહિમ આજે બે કરોડ સુધી પહોંચી..જાણો તેમના વિષે

ગુજરાતમાં થોડા મહિના પહેલા વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે સૌરાષ્ટ્રમાં વધારે નુકસાન થયું હતું.ત્યારે કેટલીક સંસ્થાઓ અને લોકોએ સૌરાષ્ટ્રની વહારે આવ્યા હતા ત્યારે ખજુરભાઈનો જન્મદિવસ હતો અને તેમણે આ લોકોને મદદ કરવા માટે પહેલા બે લાખ રૂપિયા મદદ કરવા આપવાના હતા.

આથી તેઓ આ બે લાખ રૂપિયાની મદદથી સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતે ગયા અને ત્યાં જોયું તો તેઓએ લોકોને વધારે નુકશાન પહોંચ્યું છે અને લોકોના રહેવાના મકાનોને વધારે નુકશાન જોતા મકાનો બનાવવાનું અભિયાન શરૂ કર્યું ત્યારે તેમણે અત્યાર સુધીમાં 15 થી વધુ મકાનો બનાવી આપ્યા છે.

ત્યારબાદ તેઓએ ત્યાંની પરિસ્થિતિ જોઈ અને વિચાર્યું કે અહીંના લોકોને વધુ મદદની જરૂર છે ત્યારે તેઓએ અસરગ્રસ્ત લોકોને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે જે લોકોના ઘર વાવાઝોડાથી અસર થયા છે તેવા લોકોને આર્થિક મદદ કરી અનેઘરનો બધો સમાન પહોંચાડીને તમામ લોકોને મદદ કરી.

ખજુરભાઈ એટલે કે નીતં જાનીએ કરોડો રૂપિયાની મદદ કરી અને હજુ પણ આ લોકોને મદદ કરવાનું ચાલુ રાખે છે.ત્યારે એક ઈન્ટરવ્યુમાં તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં, ત્યારે ખજુરભાઈએજણાવ્યું કે તેઓ કોઈ રાજકારણમાં જોડાવા માંગતા નથી અને લોકો માટે મદદ કરવાનું ચાલુ રાખશે.

Read More